Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd June 2020

મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના કેસ ૭૫૦૦૦ નજીકઃ ર૪ કલાકમાં ૨૫૬૦ નવા કેસ નોંધાયા, ૧૨૨ લોકોના મોત

મુંબઇઃ મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના કેસોમાં દિન-પ્રતિદિન વધારો જોવા મળી રહ્યો છે રાજયમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના ૨૫૬૦ નવા કેસ નોંધાયા છે. અને ૧૨૨ લોકોના મોત થયા છે.  રાજય સ્વાસ્થ્ય વિભાગએ બતાવ્યુ કે કોરોના વાયરસના કુલકેસ ૭૪૮૬૦ થયા.

રાજયમાં કોરોના વાયરસથી  અત્યાર સુધી ૨૫૮૭ લોકોએ જીવ ગુમાવ્યા છે રાજયમાં ૩૨૩૨૯ લોકો સ્વસ્થ થયા.

(11:00 pm IST)