Gujarati News

Gujarati News

News of Monday, 3rd May 2021

અદાર પુનાવાલા લેખિત ફરિયાદ કરશે તો મહારાષ્ટ્ર સરકાર આકરા પગલાં લેતા ખચકાશે નહીં: કેબિનેટ પ્રધાનની જાહેરાત

મહારાષ્ટ્રના કેબિનેટ પ્રધાન શંભુરાજ દેસાઈએ સીરમ ઇન્સ્ટિટયૂટના સીઇઓ અદાર પુનાવાલાને ધમકી મળ્યાના, પૂનાવાલાએ કરેલા દાવા બાબતે કહ્યું છે કે, જો અદાર પુનાવાલા લેખિત ફરિયાદ નોંધાવશે તો મહારાષ્ટ્ર સરકાર આવા તત્વો સામે સખત પગલાં લેશે. અદાર પુનાવાલાએ લંડનમાં કહ્યું હતું કે કોરોના વેક્સિન પુરવઠો પૂરો પાડવા બાબતે તેમને સતત ઉચ્ચ કક્ષાએથી ધમકીઓ મળી રહી છે.

(12:48 pm IST)