Gujarati News

Gujarati News

News of Monday, 3rd May 2021

જીવલેણ કોરોનાથી પૌત્રને બચાવવા સંક્રમિત દાદા-દાદીએ ટ્રેન આગળ પડતું મૂકયું

કોટા,તા.૩:  રાજસ્થાનના કોટા જિલ્લામાં રવિવારે કોરોના વાયરસથી સંક્રમિત એક વૃદ્ઘ દંપત્ત્િ।એ કથિત રીતે પૂરપાટ ઝડપે આવતી ટ્રેન સામે પડતું મૂકીને આત્મહત્યા કરી લીધી.

આ પગલું તેમણે એટલા માટે ભર્યું હોવાનું કહેવાય છે કારણ કે તેમને ડર હતો કે તેમનું આ સંક્રમણ તેમના પૌત્ર અને વહુ સુધી ફેલાઈ શકે છે.

પોલીસે જણાવ્યું કે ૭૫ વર્ષના હીરાલાલ બૈરવા અને તેમના ૭૦ વર્ષના પત્ની શાંતિબાઈ તેમના ૧૮ વર્ષના પૌત્ર અને વહુ સાથે શહેરના પુરોહિતજી કી ટપરી વિસ્તારમાં રહેતા હતા. તેમના પુત્રનું ૮ વર્ષ અગાઉ મોત થઈ ચૂકયું છે.

રેલવે કોલોની પોલીસ સ્ટેશનના સબઈન્સ્પેકટર રમેશ ચંદ્ર શર્માએ જણાવ્યું કે વૃદ્ઘ દંપત્ત્િ। ૨૯ એપ્રિલના રોજ કોરોના સંક્રમિત થયાની પુષ્ટિ થઈ હતી. ત્યારબાદથી બંને આઈસોલેશનમાં હતા. બંનેએ રવિવારની સવારે ચંબલ ઓવરબ્રિજની પાસે રેલવે લાઈન પર દિલ્હી-મુંબઈ અપ ટ્રેક પર ટ્રેન સામે છલાંગ લગાવી દીધી.

આ અંગે કેસ દાખલ કરીને પોલીસ આગળની કાર્યવાહી કરી રહી છે. પોલીસે જણાવ્યું કે ઘટનાસ્થળેથી કોઈ સ્યૂસાઈડ નોટ મળી નથી. પરંતુ આમ છતાં તપાસ ચાલુ છે.

(10:06 am IST)