Gujarati News

Gujarati News

News of Monday, 3rd May 2021

ઓકસીજનની અછત દુર કરો : કોરોના રસી નિઃશુલ્ક આપો : ૧૩ વિપક્ષોની માંગ

નવી દિલ્હી તા. ૩ : ૧૩ વિપક્ષી દળોએ સંયુકત નિવેદન જાહેર કર્યું છે અને પીએમ મોદી પાસે માંગણી કરતાં કહ્યું છે કે દેશની જનતાને ફ્રીમાં વેકસીન આપવામાં આવે. આ ૧૩ પાર્ટીના નેતાઓએ સંયુકત નિવેદનમાં કહ્યું છે કે દેશમાં કોરોનાની બગડતી સ્થિતિને લઈને જલ્દી દેશની જનતાને વેકસીન આપવાની જરૂર છે. આ દળોએ માંગ કરી છે કે કેન્દ્ર સરકાર દેશમાં ફ્રીમાં વેકસીનેશન કાર્યક્રમને લાગૂ કરે અને સાથે લોકોને જલ્દી જ વેકસીન મળી રહે. તેનાથી કોરોનાની લડાઈમાં ઝડપ આવશે.

આ નિવેદનમાં કહેવાયું છે કે અમે લોકો કેન્દ્ર સરકારની પાસે માંગ કરીએ છીએ કે દેશમાં ફ્રીમાં જલ્દી જ વેકસીનેશન અભિયાન ચલાવવામાં આવે. દેશમાં ફ્રી વેકસીનેશન માટે ૩૫૦૦૦ કરોડ રૂપિયાની વ્યવસ્થા કરવામાં આવે.

આ નિવેદનમાં ૧૩ પાર્ટીના અધ્યક્ષમાં કોંગ્રેસના સોનિયા ગાંધી, પૂર્વ પીએમ એચડી દૈવગોડા, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ઘવ ઠાકરે, પ.બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન, ડીએમકે નેતા એમકે સ્ટાલિન, બીએસપી ચીફ માયાવતી, સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ, એનસીપી પ્રમુખ શરદ પવાર અને સીપીઆઈ મહાસચિવ ડી રાજા અને સીપીએમ મહાસચિવ સીતારામ યેચુરીની તરફથી કરાયું છે.

ફ્રી વેકસીનેશન સિવાય વિપક્ષી નેતાઓએ દેશની હોસ્પિટલમાં ઓકસીડન અને કોરોનામાં ઉપયોગમાં લેવાતી દવાની અછતને લઈને પણ સરકારનું ધ્યાન દોર્યું છે. આ નેતાઓએ પીએમ મોદીને માંગ કરી છે કે દર્દીને માટે હોસ્પિટલમાં ઓકસીજનની માંગને પૂરી કરવામાં આવે.

(10:01 am IST)