Gujarati News

Gujarati News

News of Monday, 3rd May 2021

ઓરિસ્સામાં ૧૪ દિવસનું લોકડાઉન, જરૂરી સેવામાં છૂટ

૫મી મેથી આદેશ લાગૂ થશે : સવારે ૭ વાગ્યાથી માંડીને બપોરે ૧૨ વાગ્યા સુધી લોકો પોતાના ઘરોમાંથી ૫૦૦ મીટરના દાયરામાં નિકળી શકશે

નવી દિલ્હી,તા. : દેશભરમાં કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે તમામ પ્રયત્નો છતાં વાયરસની ગતિ પર લગામ લાગી રહી નથી. દેશના અલગ અલગ ભાગમાં કોરોનાની ગતિને રોકવા માટે થઇ રહેલા પ્રયત્નો વચ્ચે હવે ઓડિશા સરકાર પણ સ્થિતિ પર કાબૂ મેળવવાનો નિર્ણય લીધો છેઓડિશા સરકારે મેથી પ્રદેશમા૬ ૧૪ દિવસના કંપ્લીટ લોકડાઉનની જાહેરાત કરી છે.

સરકારનો આદેશ ૫મેથી લાગૂ થશે. પ્રદેશમા૬ કોરોના સંક્રમિતોનો આંકડો લગભગ સાડા ચાર લાખને પાર પહોંચી ગયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે ઓડિશામાં દરરોજ અથી હજાર નવા કોરોનાના કેસ સામે આવી રહ્યા છે. ઓડિશામં હાલ કોરોના સંક્રમિતોનો આંકડો વધીને ,૫૪,૬૦૭ છે અને અત્યાર સુધી પ્રદેશમાં ૨૦૫૪ લોકોના જીવ ગયા છે.

રાજ્યમાં હાલ ૬૧,૫૦૫ એક્ટિવ કેસ છે અને ,૯૧,૦૪૮ લોકો સારવાર બાદ સાજા થઇ ચૂક્યા છેસરકારે પણ સ્પષ્ટ કર્યું છે કે દરમિયાન જરૂરી સેવાઓ, હેલ્થ સેવાઓને છૂટ મળશે. તો બીજી તરફ સવારે વાગ્યાથી માંડીને બપોરે ૧૨ વાગ્યા સુધી લોકો પોતાના ઘરોમાંથી ૫૦૦ મીટરના દાયરામાં નિકળી શકશે. જેથી રોજિંદા જરૂરિયાતની વસ્તુઓની વ્યવસ્થા કરી શકે.

પહેલાં પ્રદેશના સીએમ નવીન પટનાયકે ૧૮ થી ૪૪ વર્ષના લગભગ કરોડ યુવાનોને મફત રસી લગાવવા માટેની જાહેરાત કરી છે. તો બીજી તરફ પ્રદેશના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ નિર્દેશક બિજય પાણિગ્રાહીએ ગત મંગળવારે કહ્યું હતું કે વેક્સીન ઉપલબ્ધ હોવાના કારણે રસીકરણનો નવો તબક્કો શરૂ કરવામાં મોડું થઇ રહ્યું છે.

(12:00 am IST)