Gujarati News

Gujarati News

News of Friday, 3rd May 2019

તેજ પ્રતાપ યાદવએ કહ્યું મારા સરપુર બહુરૂપી : જનતાને છેતરી રહ્યા છે

નવી દિલ્હી : રાજદ પ્રમુખ લાલુપ્રસાદના મોટા પુત્ર તેજપ્રતાપ યાદવએ છપરા લોકસભા સીટથી રાજદ ઉમેદવાર પોતાના સસરા ચંદ્રિકારાય વિરુધ્ધ અભિયાન શરૂ કરી દીધુ. શુક્રવારના પોતાના ફેસબુક પોસ્ટમાં રાજદ ઉમેદવાર ચંદ્રિકારાયને બહુરૂપી બતાવ્યા સાથે જ સારણની જનતા એમને મત ન આપ્વાની અપીલ પણ કરી.

તેજપ્રતાપએ પોતાની પોસ્ટમાં કહ્યુ કે સારણ એમના પિતા લાલુપ્રસાદની સીટ હતી આ સીટથી પાટીર્ને બહારના ઉમેદવાર જે અમારા પરીવારના સદસ્ય નથી એમણે આરોપ લગાવ્યો કે ચંદ્રિકારાય ત્યાંની જનતાને છેતરી રહ્યા છે તે નૌટંકીબાજ છે લોકો એમને મત નહી આપે.

તેજપ્રતાપએ શરૂમાં જ પોતાની માતા રાબડી દેવીને સારણથી ચૂંટણી લડવાનો આગ્રહ કર્યો હતો. સાથે જ કહ્યું હતું જો ચંદ્રિકારાયને પાર્ટી ઉમેદવાર બનાવશે તો તે એમના વિરૂધ્ધ પ્રચાર કરશે જહાનાબાદમાં પોતાના ઉમેદવાર ચંદ્રપ્રકાશ માટે તો તે જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે. પણ હજી સુધી સારણ નથી ગયા. પ્ણ સોશ્યલ મીડીયા પર એમણે ત્યાના રાજદ ઉમેદવાર વિરૂધ્ધ મોરચો ખોલી દીધો.

આ પહેલા ગુરૂવારના પણ એમણે ટિવટ પર ચંદ્રિકા રાયના દાવાનુ ખંડન કર્યુ હતુ. સાથે જ કહ્યું હતું કે તે પત્નીના તલાકના મુદ્દા પર આજ પ્ણ અડગ છે પ્ણ શ્રી રાય લોકોને ભ્રમમાં નાખી મત મેળવવા ઇચ્છે છે.

 

(9:38 pm IST)