Gujarati News

Gujarati News

News of Friday, 3rd May 2019

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને ચૂંટણી આયોગની ત્રીજી ક્લિનચીટ

પરમાણુ હથિયાર દિવાળી માટે નથી તેવા નિવેદન માટે કોંગ્રેસે કરી હતી ફરિયાદ

 

નવી દિલ્હી ;વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીને ચૂંટણી પંચ તરફથી વધુ એક રાહત મળી છે. રાજસ્થાનમાં વડાપ્રધાન મોદીએ એક ચૂંટણી પ્રચાર દરમિયાન એક રેલીને સંબોધિત કરી હતી, દરમિયાન તેઓએ પાકિસ્તાનનો ઉલ્લેખ કરી પરમાણુ હથિયાર અંગે વાત કરી હતી, કોંગ્રેસ દ્વારા નિવેદનને લઇને ચૂંટણી પંચમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

વડાપ્રધાન મોદીએ 21 એપ્રિલે રાજસ્થાનના બાડમેરમાં રેલી દરમિયાન પાકિસ્તાનને ચેતાવણી આપતા કહ્યું હતું કે ભારતના પરમાણુ હથિયાર દિવાળી માટે નથી. તેઓએ કહ્યું હતું કે પાકિસ્તાન કહે છે કે અમારી પાસે ન્યૂક્લિયર બટન છે, આપણી પાસે શું છે, દિવાળી માટે રાખ્યા છે

(12:00 am IST)