Gujarati News

Gujarati News

News of Friday, 3rd April 2020

ઉત્તર પ્રદેશના 359 બાળ કેદીઓને મુક્ત કરાશે

રાજ્યના બાળગૃહોમાં લગભગ 30,000 બાળકો બંધ

લખનૌ : ઉત્તર પ્રદેશમાં લગભગ 359 બાળ કેદીઓને મુક્ત કરવામાં આવશે. હાઈકોર્ટના નિર્દેશોના પગલે આ કેદીઓને બાળગૃહમાંથી મુકત કરવામાં આવશે. આ કેદીઓને ત્રણ વર્ષ સુધીની સજા કરવામાં આવી છે. રાજ્યના બાળગૃહોમાં લગભગ 30,000 બાળકો બંધ છે. કોર્ટે આ નિર્ણય કોરોના વાયરસના ભયને ધ્યાનમાં રાખીને લીધો છે.

(9:52 pm IST)