Gujarati News

Gujarati News

News of Friday, 3rd April 2020

અમે દીવો પ્રગટાવશું,તેના બદલામાં તમે પણ અર્થશસ્ત્રીઓની વાત સાંભળો :પી, ચિદમ્બરમ

અમને આશા હતી કે તમે આજે ગરીબો માટે કોઇ પેકેજની જાહેરાત કરશો

નવી દિલ્હી : પૂર્વ કેન્દ્રીય નાણામંત્રી મંત્રીએ પોતાના ટ્વિટમાં જણાવ્યું છે કે અમે તમારી વાત સાંભળીશું અને 5 એપ્રિલના રોજ દિવા પ્રગટાવીશું. પરંતુ તેના બદલામાં તમે પણ અર્થશાસ્ત્રીઓની વાત સાંભળો. અમને આશા હતી કે તમે આજે ગરીબો માટે કોઇ પેકેજની જાહેરાત કરશો, જેને દેશના નાણાંમંત્રી નિર્મલા સીતારમણે પોતાના ભાષણમાં ભૂલી ગઇ હતી.

કોંગ્રેસના દિગ્ગજ નેતા પી. ચિદમ્બરમે લખ્યું કે કામ કરનાર દરેક વ્યક્તિ પછી તે કોઇ બિઝનેસ મેન હોય કે કોઇ શ્રમિક હોય તેને મદદની જરૂરિયાત છે અને આર્થિક શક્તિને ફરી (રી-સ્ટાર્ટ) કરવાની જરૂરિયાત છે. સંકેત આપવો જરૂરી છે, પરંતુ કડક પગલા ભરવા પણ જરૂરી છે

(1:21 pm IST)