Gujarati News

Gujarati News

News of Friday, 3rd April 2020

વર્ક ફ્રોમ હોમ એકિઝકયુટિવ્ઝ માટે ફાયદાકારક

મુંબઇ યુનિવર્સિટીના સર્વે અનુસાર ટ્રાવેલિંગ ઓછું થતાં થયો સ્ટ્રેસ લેવલમાં ઘટાડો

મુંબઈતા. ૩ : મુંબઈ યુનિવર્સિટીના મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલા સર્વેમાં રસપ્રદ વાતો સામે આવી છે. વિદ્યાર્થીઓએ લોકડાઉનમાં ઘરેથી કામ કરતા ૫૬ ટકા કંપનીઓના એકિઝકયુટિઝને વિવિધ પ્રશ્નો પૂછયા હતા. પ્રશ્નો દ્વારા જાણવા મળ્યું હતું કે કંપનીમાં એકિઝકયુટિવ, મેનેજર અને સીઈઓ લેવલના ૭૬ ટકા લોકો ઘરેથી કામ કરી રહ્યા છે. તેમનું રૂટીન, પ્રોડકિટવિટી અને પર્ફોર્મન્સ વગેરે બાબતોને આધાર રાખીને સર્વે તૈયાર કરાયો છે. સર્વેમાં સૌથી મહત્ત્વની વાત એ સામે આવી હતી કે ૬૦ ટકા એકિઝટ્યુટિજનું કહેવું હતું કે વર્ક ફ્રોમ હોમને કારણે સ્ટ્રેસ-લેવલમાં મોટો ઘટાડો થયો છે.

ચેતના કોલેજમાં મેનેજમેન્ટ ડિપાટમેન્ટમાં અભ્યાસ કરતા ત્રણ વિદ્યાર્થીના જૂથે લોકડાઉનમાં સર્વે હાથ ધર્યો હતો. આ સર્વે ટેલિફોનિક હતો, જેમાં દરેક વ્યકિતને ૪ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. પ્રોડકિટવ રીતે કામ કરવા રોજ શું કરો છો, પર્ફોમન્સમાં શું બદલાવ આવ્યો અને લોકડાઉનની પોઝિટિવ તથા નેગેટિવ બાબત જણાવો વગેરે પ્રશ્નો હતા. ૨૦ માર્ચથી આ સર્વે વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે.

સર્વેનો આઈડિયા જનરેટ કરનાર ર૨ વર્ષના સરલ જેઠાનીએ જણાવ્યું હતું કે લોકડાઉનના સમયનો ઉપયોગ કરિકયુલમ માટે કરવા માટે અમને આ સર્વે કરવાનો વિચાર આવ્યો. આગળ જતાં આ સર્વે અમને કોલેજમાં પણ કામ આવશે.

સ્ટ્રેસ ઓછો થવાનું સૌથી મોટું કારણ ટ્રાવેલિંગ

સ્ટ્રેસ ઓછું થવાનું કારણ જણાવતાં લોકોએ કહ્યું હતું કે મુંબઈમાં સૌથી વધુ સમય ટ્રાવેલિંગમાં જાય છે. ટ્રેનમાં ટ્રાવેલ કરો કે પોતાના વાહનથી, ભીડ અને ટ્રાફિક સૌથી મોટું ઈરિટેશન છે. હવે ટ્રાવેલિંગના ૪-૫ કલાક રિલેકસેશનમાં જાય છે એથી ફ્રેશ અનુભવ કરીએ છીએ.

(9:43 am IST)