Gujarati News

Gujarati News

News of Friday, 3rd April 2020

પુત્ર મરકજમાં નથી ગયો છતાં પણ કવોરોનટાઇમ કરવામાં આવ્યોઃ ઝારખંડના મંત્રીશ્રીની પ્રતિક્રિયા

ઝારખંડમાં જે પ્રથમ મહિલા કોરોના વાયરસથી સંક્રમિત મળી એને દિલ્લીની નિજામુદીન મરકજથી સંબંધ હતો. આ મામલો સામે આવ્યા પછી ઝારખંડ સરકાર હવે આ તમામ લોકોનો પતો લગાવી રહી છે જે નિજામુદીન મરકજમાં જઇ પરત ફર્યા.

આ સિલસિલામાં ઝારખંડના અલ્પસંખ્યક કલ્યાણ મંત્રી હાજી હુસેનના પુત્ર મોહમ્મદ તનવીરને પણ દેવધરની એક હોસ્પીટલમાં કવોરનટાઇન કરવામાં આવ્યો છે. જો કે મંત્રી હાજી હુસેનનું કહેવું છે કે એમનો પુત્ર મરકજ ગયો જ નથી.

(11:08 pm IST)