Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd March 2021

લખનઉના મોહનલાલગંજના ભાજપના સાંસદ કૌશલ કિશોરના પુત્ર ઉપર ફાયરીંગ પ્રકરણમાં નવો વળાંકઃ પુત્રઍ પોતાના સાળા પાસે ફાયરીંગ કરાવ્યુ હોવાનું ખુલ્યુ

લખનઉ: મોહનલાલગંજથી ભાજપના સાંસદ કૌશલ કિશોરના પુત્ર પર ફાયરિંગના કેસમાં નવો વળાંક સામે આવ્યો છે. લખનઉ પોલીસે દાવો કર્યો છે કે પુત્રએ પોતાના સાળા પાસે પોતાના ઉપર ફાયરિંગ કરાવ્યું હતું. પોલીસના અનુસાર એક લાઇસન્સ રિવોલ્વર હતી, જેને જપ્ત કરી લેવામાં આવી છે, પરંતુ હજુ સુધી સ્પષ્ટ થયું નથી કે કેમ પોતાના પર ફાયરિંગ કરાવ્યું હતું.

લખનઉ પોલીસ કમિશ્નર ડીકે ઠાકુરે કહ્યું કે આ ઘટના રાત્રે લગભગ 2:10 વાગે થઇ હતી, પહેલાં કહેવામાં આવ્યું કે સાંસદના પુત્ર પર કેટલાક અજાણ્યા હુમલાવરોએ ગોળી ચલાવી હતી અત્યાર સુધીની તપાસમાં જાણવા મળ્યું કે સાંસદના પુત્રના કહેવા પર તેના સાળાએ ગોળી ચલાવી, પુત્રના સાળાની ધરપકડ કરી પૂછરપરછ કરવામાં આવી રહી છે.

લખનઉ પોલીસ કમિશ્નર ડીકે ઠાકુરે કહ્યું કે જે પિસ્તોલ વડે ગોળી ચલાવવામાં આવી હતી, તેને રિકવર કરી લીધી  છેગત વર્ષે સાંસદના પુત્રએ લવ મેરેજ કર્યા હતા. ત્યારબાદ તે પોતાના પિતાથી અલગ રહેતો હતો, ઘટનાને લઇને તપાસ ચાલુ છે, અમે પ્રયત્ન કરી રહ્યા છીએ કે આખરે પુત્રએ પોતાના સાળા દ્રારા પોતાના પર ગોળી કેમ ચલાવી.?

આ પહેલાં સમાચાર આવ્યા હતા કે સાંસદ કૌશલ કિશોરના પુત્ર આયુષને બાઇક પર સવાર તોફાની તત્વો ગોળી મારીને ફરાર થઇ ગયા હતા. ગંભીર હાલતમાં આયુષને ટ્રોમા સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યો છે. આયુષની સ્થિતિ હવે ખતરાથી બહાર હોવાનું કહેવામાં આવી રહ્યું છે અને તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

દાવો કર્યો હતો કે આયુષ સવારે મડિયાંવ થઇને ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે છઠા મીલ પાસે પહોંચીને તોફાનીતત્વોએ ફાયરિંગ કર્યું ગોળી અડીને નિકળી ગઇ, એટલા માટે હોસ્પિટલમાંથી પ્રાથમિક સારવાર બાદ આયુષને રજા આપવામાં આવી હતી.

આ અંગે સાંસદ કૌશલ કિશોરે  જણાવ્યું હતું કે આયુષનું કહેવું છે કે આ ઘટના વહેલી સવારે સર્જાઇ હતી. આયુષ પોતાના સાળા સાથે વોક કરી રહ્યા હતા. સાંસદ તરફથી લેખિતમાં આપવાની મનાઇ કરી દીધી છે. હાલ કેસને લઇને ઘણા પ્રકારના સવાલ ઉભા કરવામાં આવ્યામાં આવ્યા છે. 

(4:47 pm IST)