Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd February 2021

૧૦ મહિનાથી બંધ રાષ્ટ્રપતિ ભવન સામાન્ય લોકો શનીવારથી ફરી નિહાળી શકશે

નવી દિલ્હીઃ કોરોનાને કારણે લોકો માટે ૧૦ મહીનાથી બંધ રાષ્ટ્રપતિ ભવન તા.૬ને શનિવારથી ફરી ખુલવા જઇ રહયું છે. રાષ્ટ્રપતિ ભવન સરકારી રજા સિવાયના શનીવાર-રવિવાર સામાન્ય લોકો માટે ખુલ્લુ રહેશે. મુલાકાત માટે ઓનલાઇન બુકીંગ કરાવવાનું રહેશે. જેની ફી રૂ. પ૦ રાખવામાં આવી છે. મુલાકાતીઓ સવારે ૧૦.૩૦  બપોરે ૧ર.૩૦ અથવા ર.૩૦ દરમિયાન બુકીંગ કરાવી શકશે. દરેક સ્લોટમાં રપ લોકોને પ્રવેશ અપાશે. મુલાકાત દરમિયાન માસ્ક અને સોશ્યલ ડીસ્ટન્સીંગ ફરજીયાત રહેશે.

(3:26 pm IST)