Gujarati News

Gujarati News

News of Saturday, 3rd February 2018

ઉપરાષ્ટ્રપતિએ પોતાના વજનની બરાબર ચડાવ્યો ગોળ

તેલંગાણાના વારંગલમાં ગઇકાલે ઉપરાષ્ટ્રપતિ વેકૈયા નાયડુએ 'મેદારામ જથારા' પર્વ દરમિયાન આદિવાસીઓના આરાધ્ય સમક્કા સારાલમ્માને પોતાના વજનની બરોબર ગોળ ચડાવ્યો હતો. આ માટે તસ્વીરમાં ત્રાજવામાં બેસીને ગોળ તોલાવતા વેકૈયા નાયડુ દેખાય છે. આ પર્વમાં આરાધ્યને પોતાના વજનની બરોબર ગોળ ચડાવવાની પરંપરા છે. ૩૧મીથી શરૂ થયેલા આ પર્વની આજે સમાપ્તી થઇ રહી છે. આ મહોત્સવમાં આંધ્ર સહિત મહારાષ્ટ્ર, ઓડિશા અને મધ્યપ્રદેશથી મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ પહોંચે છે.

(12:02 pm IST)