Gujarati News

Gujarati News

News of Thursday, 2nd December 2021

સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીમાં રાત્રિ કર્ફ્યૂ: રાત્રે 11 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી અમલ

પ્રસાશનના આદેશથી પ્રદેશના આરોગ્ય વિભાગે જાહેરનામુ બહાર પાડ્યું

અમદાવાદ :કોરોના વાયરસના નવા વેરિઅન્ટ ઓમિક્રોન 29 દેશોમાં હાહાકાર મચાવ્યો છે.. ત્યારે દેશમાં પણ સતર્કતાના પગલાં લેવામાં આવી રહ્યાં છે. ગુજરાતને અડીને આવેલા સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી  અને દમણમાં સાવચેતીના ભાગ રૂપે રાત્રી કર્ફ્યુ ફરી અમલી કરવામાં આવ્યો છે.

જેમાં પ્રસાશનના આદેશથી પ્રદેશના આરોગ્ય વિભાગે જાહેરનામુ બહાર પાડ્યું છે.. સંઘ પ્રદેશમાં રાત્રે 11 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી નાઇટ કર્ફ્યુ અમલી કરાયું છે. આની સાથે કોવિડ -19 પ્રોટોકોલની ચુસ્ત અમલવારીના આદેશ પણ કરાયા છે.

(10:33 pm IST)