Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd December 2020

સેનેટાઇઝર છાંટી બેને જીવતા સળગાવી દેવાયા

લખનૌ,તા. ૨: ઉત્તરપ્રદેશના બલરામપુર જિલ્લામાં તાજેતરમાં એક પત્રકાર અને તેના મિત્રની હત્યામાં પોલીસે એક ગામના સરપંચ સહિત ત્રણ લોકોની ધરપકડ કરી છે. યુપીમાં છેલ્લા કેટલાય સમયથી કાયદો અને વ્યવસ્થાની કથળેલી સ્થિતીના અહેવાલો પ્રગટ થતા રહે છે.

આવા વધુ એક બનાવ રૂપે લખનૌના એક અખબારમાં કામ કરતા પત્રકાર રાકેશસિંહ અને તેના મિત્ર પિન્ટુની લાશ સળગેલી હાલતમાં જિલ્લાના કેવલારી ગામ સ્થિત ઘરમાંથી મળી હતી. બંનેની હાલત અત્યંત ગંભીર હોય પોલીસ તુરત જ હોસ્પિટલમ ખસેડયા હતા.

મૃત્યુ પૂર્વે પત્રકારે પોલીસે નિવેદન આપ્યું હતું. જેમાં કહ્યું કે ગામના સરપંચના પુત્ર રિન્કુ મિશ્રા અને તેના સાગરિતોએ હેન્ડ સેનિટાઇઝર પત્રકાર અને તેના મિત્ર પર છાંટીને પછી આગ ચાંપી દીધી હતી. સરપંચના ભ્રષ્ટાચાર મુદ્દે લખતા બંનેની અદાવતમાં હત્યા કરાઇ હોવાનું પોલીસની તપાસમાં ઉજાગર થયું હતું.

(11:16 am IST)