Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd December 2020

પત્ની અને ૫ બાળકોના કુહાડીથી કર્યા કટકાઃ પછી કહ્યું: 'ભૂતે બધી હત્યાઓ કરી'

એક દીકરી અને ત્રણ દિકરાની હત્યા કરનાર આરોપીએ કહ્યું : ફરવા ગયો તો મારા શરીરમાં ભૂત ઘૂસી ગયું

સિવાન,તા.૨: બિહારના સિવાન જિલ્લામાંથી એક દર્દભરી ઘટના સામે આવી છે. એક માથાફરેલે પોતાની પત્ની અને પાંચ બાળકોની કુહાડીથી રહેંસી નાખ્યા છે. આ ઘટનામાં ચાર બાળકોના મોત થયા અને પત્ની તેમજ એક દીકરાની હાલત ગંભીર છે. બન્ને ઈજાગ્રસ્તોની સારવાર પટણાના PMCHમાં ચાલી રહી છે. ઠંડે કલેજે હત્યા કર્યા પછી તેણે પણ ઝેર ખાધું હતું અને તેની સારવાર પણ સિવાનના હોસ્પિટલમાં જ ચાલી રહી છે.

જાણકારી અનુસાર, આ ઘટના સિવાન જિલ્લાના ભગવાનપુર ગામની છે. સોમવારે મોડી રાતે અહીં એક માથાફરેલે પોતાની પત્ની અને ૫ બાળકોની કુહાડીથી રહેંસી નાખ્યા હતાં. પિતાએ કરેલા આ હુમલામાં એક દીકરી સહિત ચાર બાળકોના મોત નીપજયા હતાં. તો, પત્ની અને એક દીકરીને ગંભીર સ્થિતિમાં પટના હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે.

પોલીસના જણાવ્યાનુસાર, આરોપીની ઓળખ બલહા ગામના રહેવાસી અવધેશ ચૌધરી તરીકે થઈ છે. આ ઘટના વિશે એવું જણાવવામાં આવે છે કે અવધેશ ચૌધરીની કોઈ વાતને લઈને પત્ની સાથે દલીલ થઈ હતી. આ દરમિયાન વિફરેલા પતિએ કુહાડીથી પરિવાર પર હુમલો કર્યો હતો. આરોપી અવધેશ ચૌધરીએ ફોન કરીને ઘટનાની જાણકારી પોલીસને આપી હતી પરંતુ તેણે ફોન ઉઠાવ્યો નહોતો. આરોપીએ જણાવ્યું કે,લૃજ્રાચત્ન વરિષ્ઠ અધિકારીઓને ફોન કર્યા પરંતુ કોઈએ ફોન ઉઠાવ્યો નહોતો. જે પછી પોલીસ આવી અને મને ધરપકડ કરીને લઈ ગઈ'

માથાફરેલ હત્યારા અવધેશ ચૌધરીએ હત્યાની વિચિત્ર સ્ટોરી પણ મીડિયાને જણાવી હતી. તેણે કહ્યું કે,'હું જયારે ફરવા ગયો ત્યારે અચાનક જ મારા શરીરમા એક હવા (ભૂત) ઘૂસી ગયુ હતું. જે પછી મને લાગ્યું કે મારી સામે જે પણ જીવતો વ્યકિત આવે તેની હત્યા કરવી જોઈએ. જે પછી મારા બાળકો અને પત્ની સામે આવ્યા અને મેં તેની હત્યા કરી હતી.

આ સૂચના મળતા જ ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે વિફરેલ પિતાની ધરપકડ કરી છે. આરોપીએ પોતાનો ગુનો કબૂલ કરી લીધો છે. ASI શશિભૂષણ કુમારનું કહેવું છે કે, શરુઆતની તપાસમાં એ વાત સામે આવી છે કે આરોપી માનસિક રીતે અસ્થિર છે. હાલ તો આ મામલે તપાસ કરવામાં આવી રહી છે.

(9:40 am IST)