Gujarati News

Gujarati News

News of Saturday, 2nd December 2017


રાજનાથસિંહે કરી એવી વાત, કે કોંગ્રેસ પણ થશે સંમત

સુરતના ગોદાદરા ખાતે કેન્દ્રીય મંત્રી રાજનાથસિંહે કરેલા સંબોધનમાં ગુજરાતના લોકોને બિરદાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે દુનિયામાં જાણીતું નામ હોય તો તે ગુજરાત છે. તેમણે કહ્યું હતું કે મારી માતાનું નામ ગુજરાતી દેવી છે. લોકોની આંખમાં ધૂળ નાંખીને રાજનીતિ નથી કરી.

રાજનાથસિંહે કોંગ્રેસને આડે હાથે લેતા કહ્યું હતું કે લોકોની આંખમાં ધૂળ નાંખીને રાજનીતિ નથી. પાછળ ભાજપને ઉભી કરવા અથાગ મહેનત કરી હોવાનું તેમનું કહેવું હતું. પીએમ મોદી વિશે વાત કરતાં કહ્યું હતું કે મોદી સરકારના મંત્રીઓ પર ભ્રષ્ટાચારના આરોપ નથી લાગ્યા.

 

(11:57 pm IST)