Gujarati News

Gujarati News

News of Saturday, 2nd December 2017

યોગીના ગઢ ગોરખનાથમાં અપક્ષ ઉમેદવાર નાદીરા ખાતુનની જીત

લખનઉ : ઉત્તરપ્રદેશમાં નગરપાલિકાની ચૂંટણીમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના ગઢ ગોરખપુરમાં ભાજપના ઉમેદવાર માયા ત્રિપાઠીની હાર થઈ છે. યોગી દ્વારા અમેઠીમાં કોંગ્રેસના ખાત્મા અંગે ટિપ્પણી બાદ તેમણે આ હારનો સામનો કરવો પડી રહ્યો છે. આ બેઠક પર અપક્ષ ઉમેદવાર નાદીરાખાતુને જીત મેળવી છે. યોગી આદિત્યનાથ જે ગોરખપુર મંદિરના મહંત છે તે ક્ષેત્રમાંથી મુસ્લિમ અપક્ષ ઉમેદવાર તરીકે જીત હાંસલ મેળવનારી નાદીરા ખાતુન ચર્ચામાં છે. નાદીરાએ કહ્યું કે તેણી વિકાસના મુદ્દા સાથે લડી હતી અને લોકોએ તેમને જીતાડ્યા, જયારે તેમને પૂછવામાં આવ્યુ કે શું તેઓ યોગી આદિત્યનાથને ટેકો આપશે ત્યારે તેણીએ કહ્યુ કે જરૂરીયાત પડશે તો ચોક્કસ આપશે. તેમણે કહ્યું કે મુખ્યમંત્રી તેણીના પાડોશી છે અને પોતાના વિજયનો શ્રેય પણ તેમને જાય છે. નાદીરા શિક્ષણને પ્રાથમિકતા આપવા માગે છે. તેમનું સ્વપ્ન છે કે તેમના વિસ્તારમાં કોઈપણ નિરક્ષર ન રહે.(૩૭.૨)

 

(11:27 am IST)