Gujarati News

Gujarati News

News of Saturday, 2nd December 2017

વીસ રાજ્યોમાં પદ્માવતી ફિલ્મ ઉપર લાગી શકે છે પ્રતિબંધ

નવી દિલ્હી તા. ૧૨ : પદ્માવતી ફિલ્મનો જોરદાર વિરોધ કરી રહેલ કરણી સેનાના પ્રમુખ લોકેન્દ્રસિંહ કાલવીએ જણાવ્યું હતું કે, વીસ રાજ્યોમાં પદ્માવતી ફિલ્મ પર પ્રતિબંધ લાગી શકે છે. સંસદીય સમિતિ સમક્ષ ફિલ્મ નિર્દેશક ભણશાલીના જવાબ અંગે લોકેન્દ્રસિંહ જણાવ્યું હતું કે, પદ્માવતી ફિલ્મ રીલીઝ થવા નહિ દઇએ જો ફિલ્મ રીલીઝ થશે તો કરણી સેના ફરીથી રોડ પર ઉતરી જશે. સાથોસાથ તેઓએ એવી માંગણી કરી હતી કે, ઐતિહાસિક વિષયો પર બનતી ફિલ્મો માટે પ્રિ-સેન્સર બોર્ડ હોવું જોઇએ. પદ્માવતી ફિલ્મની રિલીઝ રોકવા માટે કરણી સેના વીસ રાજ્યના મુખ્યમંત્રીને રજૂઆત કરશે. સિનેમેટોગ્રાફી એકટ અંતર્ગત ત્રણ માસ સુધી ફિલ્મ પર પ્રતિબંધ લગાવવાનો પ્રધાનમંત્રીને અધિકાર છે તેમ અંતમાં લોકેન્દ્રસિંહ કાલવીએ જણાવ્યું હતું.

(11:27 am IST)