Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd November 2021

કાંટાની તાર પર લટકતા બે બાળકોનાં મૃતદેહ મળ્યા

મથુરાના યમુના એક્સપ્રેસ-વેની ઘટના : બંને બાળકોના માથા પર ભારે વસ્તુથી હુમલો કરી હત્યા કરવામાં આવી, ગળા પર પણ નિશાન મળ્યા છે

મથુરા, તા.૨ : મથુરામાં મંગળવારની સવારે યમુના એક્સપ્રેસ વે માઈલસ્ટોન ૭૪ અને ૭૮ પર બે બાળકોના મૃતદેહ મળવાથી સનસની ફેલાઈ ગઈ. બંનેની બેરહેમીથી હત્યા કરવામાં આવી છે.

માઈલસ્ટોન ૭૮ પર કાંટાળા તાર પર ૧૩ વર્ષના બાળકને લટકાવવામાં આવ્યો, જ્યારે નવ વર્ષના બાળકના મૃતદેહને કાંટાળા તારની પાસે ફેંકવામાં આવ્યો. પોલીસ અનુસાર બંને ભાઈ પ્રતીત થઈ રહ્યા છે.

૭૮ માઈલસ્ટોન કોતવાલી સુરીર અને ૭૪ માઈલસ્ટોન થાણા નૌજીલ ક્ષેત્રમાં આવે છે. આશંકા વર્તાઈ રહી છે કે બંનેની હત્યા કરીને મૃતદેહ લટકાવવામાં આવ્યો અને ફેંકવામાં આવ્યો છે. બંનેના માથા પર ભારે વસ્તુથી હુમલો કરી હત્યા કરવામાં આવી છે. ગળા પર પણ નિશાન મળ્યા છે.

જોકે અત્યાર સુધી બંનેની ઓળખ થઈ શકી નહીં. ઘટના સ્થળ પર એસએસપી ડોક્ટર ગૌરવ ગ્રોવર અને એસપી ગ્રામીણ શ્રીશચંદ પોલીસ ટીમની સાથે પહોંચ્યા. એસએસપીએ પોલીસ ટીમને મૃતદેહની ઓળખની સાથે ખુલાસા નિર્દેશ આપ્યા છે. કોતવાલ નૌજીલ સદુવનરામ ગૌતમે જણાવ્યુ કે ઓળખ બાદ જ હત્યાનો ખુલાસો કરવામાં આવશે. એ તો સ્પષ્ટ છે કે બંનેની હત્યા કરવામાં આવી છે.

(7:42 pm IST)