Gujarati News

Gujarati News

News of Monday, 2nd November 2020

ફ્રાન્સમાં હત્યાને યોગ્ય ઠેરવનારા ઉર્દૂ શાયર મુનવ્વર રાના સામે એફઆઈઆર

પયગંબર પર કાર્ટુનનો વિવાદ ભારતમાં પણ વકર્યો : ધાર્મિક ભાવનાઓ ભડકાવવાનો ઉર્દુ શાયર મુનવ્વર રાના સામે આરોપ દાખલ થયો : માફી માગવા રાનાનો ઇન્કાર

લખનઉ, તા. : ઉત્તરપ્રદેશ પોલીસે ઉર્દૂ શાયર મુનવ્વર રાનાની વિરૂદ્ધ એફઆઈઆર નોંધાવી છે. તેના પર ધાર્મિક ભાવનાઓ ભડકાવાનો આરોપ છે. લખનઉના હજરતગંજ કોતવાલીમાં આઈપીસીની કેટલીય કલમોની અંતર્ગત કેસ દાખલ કરાયો છે. દરમિયાનમાં રાનાએ પોતાના નિવેદન પર વળગી રહેતા માફી માગવાનો ઇન્કાર કર્યો હતો. રાનાએ પાછલા દિવસોમાં ફ્રાન્સમાં એક શિક્ષકના શિરચ્છેદ કરવાને યોગ્ય ગણાવ્યો હતો. રાનાનો તર્ક હોય કે પયગંબર મોહમ્મદનું 'ભદ્દાલ્લ કાર્ટુન બનાવનાર સાથે આવું થવું જોઇએ. તેમણે કહ્યું હતું કે જો કોઇ આપણી માતા કે આપણા બાપનું આવું કાર્ટુન બનાવી દે તો આપણે તો તેને મારી નાંખીશું.

મુનવ્વર રાનાએ એક ચેનલ સાથે વાતચીતમાં નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે એમએફ હુસૈન હિન્દુ દેવી-દેવતાઓના વિવાદાસ્પદ પેઇન્ટિંગ્સ બનાવ્યા તો વૃદ્ધ શખ્સ, ૯૦ વર્ષના વૃદ્ધ આદમીને દેશ છોડીને ભાગવું પડ્યું. મુનવ્વર કહે છે કે એમએફ હુસૈન વાતને જાણી ચૂકયા હતા કે જો તેઓ આમ નહીં કરે તો તેમને મારી નાંખવામાં આવશે. મુનવ્વર રાનાએ એમ પણ કહ્યું કે જ્યારે હિન્દુસ્તાનમાં હજારો વર્ષથી ઓનર કિલિંગને માની લેવામાં આવે છે કોઇ સજા થતી નથી તો ફ્રાન્સની ઘટનાને ગેરકાયદેસર કેવી રીતે કહી શકાયછે.

રાનાનું કહેવું હતું કે આપત્તિજનક કાર્ટુન પયગંબર મોહમ્મદ અને ઇસ્લામને બદનામ કરવાની નિયતથી બનાવામાં આવે છે. તેમણે કહ્યું કે આવી હરકતોના લીધે પણ લોકો આવા પગલાં ઉઠાવા મજબૂર થઇ જાય છે જેમકે ફ્રાન્સમાં થયું. રાનાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર નિશાન સાંધતા ભારતે ફ્રાન્સનું સમર્થન કરવા પર પણ ખોટું ગણાવ્યું. રાનાનો આરોપ હતો કે મોદી આવું એટલા માટે કરીરહ્યું છે કારણ કે રાફેલ સોદા વચ્ચેમાં આવી રહ્યો છે. મોદીએ ફ્રાન્સમાં આતંકી ઘટનાઓની નિંદા કરતાં પીડિતોના પ્રત્યે દુઃખ વ્યકત કર્યું હતું.

(9:03 pm IST)