Gujarati News

Gujarati News

News of Monday, 2nd November 2020

પાકિસ્તાનમાં મંદિરો ઉપર એક જ મહિનામાં ત્રીજો હુમલો થયો: કરાંચીના શિતળા માતાના મંદિરમાં ભાંગફોડ

ગઈરાત્રે કરાચી ખાતે આવેલ લી માર્કેટ-લિયારી ખાતે આવેલા શિતળા માતાજીના મંદિરમાં ધર્મવિરોધી કટ્ટરવાદી તત્વોએ મોટી ભાંગફોડ કર્યાનું પ્રખર હિંદુવાદી મહિલા અગ્રણી રેખા મહેશ્વરીએ તેના ટ્વિટર એકાઉન્ટ ઉપર જાહેર કર્યું છે. તેમણે કહ્યું છે કે પાકિસ્તાનમાં લઘુમતીઓ ઉપરના હુમલાઓ એકધારા વધતા જાય છે અને ઇમરાનખાન સરકાર હિન્દુ લઘુમતીઓના ધાર્મિક સ્થળોને રક્ષણ આપવામાં સંપૂર્ણ નિષ્ફળ ગયેલ છે. મંદિરમાં રહેલ દેવી-દેવતાઓની મૂર્તિઓને ઉખેડી, ફેંકી દઈ ભારે અપમાન અને અપવિત્ર કરવામાં આવ્યાનું પણ જાણવા મળે છે. અંગે બિલાવલ ભુટ્ટો તથા પીપીપી પાર્ટીના મીડિયા સેલ અને મૂર્તઝા વહાબને પણ જાણ કરવામાં આવી છે.

(5:12 pm IST)