Gujarati News

Gujarati News

News of Monday, 2nd November 2020

બાબરી મસ્જિદ વિધ્વંશ કેસમાં ચુકાદો આપનાર ન્યાયાધીશની સુરક્ષા વધારવાનો સુપ્રીમ કોર્ટનો ઇનકાર

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે બાબરી મસ્જિદ તોડવાના ફોજદારી કેસનો ચુકાદો આપનાર ન્યાયાધીશ એસ.કે. યાદવની સુરક્ષા વધારવાનો ઇનકાર કરી દીધો છે. આ અગાઉ સુપ્રીમ કોર્ટે જજ એસ.કે. યાદવને સુરક્ષા આપી હતી. સાથે ચુકાદો જાહેર કરવા સુધી તેમની નિવૃત્તિ પણ વધારી દેવામાં આવી હતી. તાજેતરમાં બાબરી મસ્જિદ ડિમોલિશન કેસમાં ચુકાદો આવ્યો હતો, જેમાં લાલકૃષ્ણ અડવાણી સહિતના તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા

(1:32 pm IST)