Gujarati News

Gujarati News

News of Monday, 2nd November 2020

યુપીના બઈરાઈચમાં રોડ ગમખ્વાર અકસ્માત : છ લોકોના મોત : 10 ઘાયલ : 5ની હાલત ગંભીર

એમ્બ્યુલન્સ સમયસર નહિ આવતા પોલીસ વાનમાં ઘાયલોને હોસ્પિટલ લઈ જવાયા

ઉત્તરપ્રદેશના બઈરાઈચ જનપદના પયાગપુરમાં એક ગમખ્વાર રોડ અકસ્માત થયો છે. પોલીસના જણાવ્યાનુંસાર એક મહિંન્દ્રા ગાડીમાં સવાર 16 પ્રવાસી આંબેડકરનગર સ્થિત કિછૌછા શરીફના દર્શન કરીને પાછા ફરી રહ્યા હતા. ત્યારે પયાગપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં શિવદહા વળાંક પાસે એક અજાણ્યા વાહને તેને ટક્કર મારી હતી. આ ઘટનામાં 6 લોકોના ઘટના સ્થળે મોત થયા હતા.

જો કેસ્થાનીક લોકોનો આરોપ છે કે સમયસર એમ્બ્યુલન્સ આવી ગઈ હોત તો કેટલાક લોકોના જીવ બચી શક્યા હોત. પરંતું એમ્બ્યુલન્સ સમય સર ન પહોંચતા પોલીસની ગાડીનાં તમામને જિલ્લા હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા. મળતી જાણકારી મુજબ તમામ મૃતકો અને ઘાયલોને લખીમપુર ખીરી જિલ્લામાં તિકુનિયા અને સિંગાહીના રહેવાસી છે.

  અત્રે ઉલ્લેખનીય છે કે ઘટનાની જાણ થતા પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી અને રેસ્ક્યુ ઓપરશન કર્યુ હતુ. જ્યારે સ્થાનીકોએ પણ મદદ કરી હતી. જોકે એમ્બ્યુલન્સ સમયસર ન આવી હોવાથી લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. પોલીસે ગુનો નોંધવા સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(1:22 pm IST)