Gujarati News

Gujarati News

News of Sunday, 2nd August 2020

કર્ણાટકમાં મુખ્યમંત્રી બી એસ યેદીયુરપ્પા પણ કોરોના વાયરસથી સંક્રમિત :ખુદ ટ્વીટ કરીને જાણકારી આપી

સંપર્કમાં આવેલાને સાવચેત રહેવા અને ક્વોરેન્ટાઇનમાં ચાલ્યા જવા અનુરોધ કર્યો

કર્ણાટકમાં મુખ્યમંત્રી બી એસ યેદીયુરપ્પા પણ કોરોના વાયરસથી સંક્રમિત થયા છે,યેદિયુરપ્પાએ ખુદ ટ્વીટ કરીને આ જાણકારી આપી હતી,યેદિયુરપ્પાએ ટ્વીટ કર્યું કે મારો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે હાલમાં હું ઠીક છું ડોક્ટરોની ભલામણ મુજબ તકેદારીના ભાગરૂપે મને હોસ્પિટલમાં દાખલ કરાઈ રહ્યાં છે,હું એવા લોકોને અનુરોધ કરું છે જે હાલમાં મારા સંપર્કમાં આવ્યા છે અને તે સાવચેત રહે અને ક્વોરેન્ટાઇનમાં ચાલ્યા જાય

(12:04 am IST)