Gujarati News

Gujarati News

News of Sunday, 2nd August 2020

કોરોનાથી જંગ જીત્યા બાદ બિગ બી એ કર્યું ટ્વીટ: કહ્યું- ભગવાનની કૃપા અને માં બાબુજીના આશીર્વાદ

મુંબઈ : બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન કોરોના સંક્રમિતથી સ્વસ્થ થયા છે આજે તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ તેમને મુંબઇની નાણાવટી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે, અમિતાભને હોસ્પિટલથી એમ્બ્યુલન્સ દ્વારા તેમના ઘરે લઇ જવામાં આવ્યા છે. જણાવી દઈએ કે 22 દિવસથી નાણાવટી હોસ્પિટલમાં કોવિડ -19 માં સારવાર લઈ રહેલા અમિતાભ બચ્ચનનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.

અભિષેક બચ્ચને ટ્વીટ કર્યું કે, કોવિદ -19 નો રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ તેના પિતા અમિતાભ બચ્ચનને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે

બિગ બીએ ટ્વીટ કર્યું કે , હું એકાંત ક્વોરેન્ટાઇનમાં ઘરે પરત આવી ગયો છું. સર્વશક્તિમાનના આશીર્વાદ, માં બાબુજીના આશીર્વાદ, પ્રાર્થના અને નિકટ અને પ્રિય અને મિત્રોના પ્રશંસકો EF .. અને નાણાવટીમાં ઉત્તમ કાળજી અને નર્સિગે આ દિવસ જોવાનું મારા માટે શક્ય બનાવ્યું.

(7:06 pm IST)