Gujarati News

Gujarati News

News of Sunday, 2nd August 2020

સુશાંતસિંહ આત્મહત્યા કેસમાં નવા નવા તથ્યો બહાર આવી રહ્યા છે પોલીસ દ્વારા આત્મહત્યાના સીન રિક્રિએટ કર્યુ

નવી દિલ્હી: સુશાંત સિંહ રાજપૂત  આત્મહત્યા કેસમાં એક પછી એક ચોંકાવનારા ખુલાસા થઇ રહ્યાં છે. બિહાર પોલીસ સંપૂર્ણ તપાસમાં લાગી ગઇ છે. તમને જણાવી દઇએ કે, બિહાર પોલીસે ઘટના સ્થળ પર આત્મહત્યાનો સીન રીક્રિએટ કર્યો છે. સુશાંતના રૂમનું જીણવટભર્યુ નિરીક્ષણ કરવામાં આવ્યું છે.

રૂમમાં કેવી રીતે કોઇ આત્મહત્યા કરી શકે છે. તેના પાસાની કસોટી કરાઈ હતી. સુશાંતના કેટલાક સ્ટાફની પોલીસે ઘટના સ્થળ પર બોલાવી પૂછપરછ કરી હતી. આમ તો સુશાંતના ઘરમાં સાક્ષી તરીકે પોલીસના હાથે કંઇ આવ્યું નથી, પરંતુ ઘરમાં કામ કરતા નોકરે ખાસ વાત જણાવી છે.

(12:05 pm IST)