Gujarati News

Gujarati News

News of Saturday, 1st August 2020

'ભિખારીઓને દાન નહીં આપો, તેઓ કોરોના ફેલાવે છે'

ચંદીગઢના વહીવટી તંત્રને સલાહ

 ચંદીગઢ,તા.૧ : ચંદીગઢના વહીવટી તંત્ર દ્વારા શહેરના રહેવાસીઓને ભિખારીઓને પૈસા નહીં આપવા માટે અપીલ કરતા કહ્યું કે તેઓ શ્નકોરોના ફેલાવનારલૃહોઇ શકે છે. એક સલાહકારે કહ્યું કે ભીખ માગવી એ કંઇ ગુનો નથી એટલે કોઇ ભિખારીને જેલમાં મોકલી શકાતા નથી. આથી ચંદીગઢના રહેવાસીઓને ખાસ અપીલ કરવામાં આવે છે કે તેઓ ભિખારીઓને કંઇ દાન ના કરે. વહીવટી તંત્ર દ્વારા ભિખારીઓને આશ્રય ઘરોમાં મૂકવામાં આવે છે પરંતુ તે ત્યાંથી પણ ભાગી જાય છે. કેન્દ્ર સાશિત પ્રદેશ ચંદીગઢમાં કોરોના વાઇરસના ચેપમાં વધારો જોવા મળી રહ્યો છે. હાલમાં કોવિડ ૧૯ના ૮૮૭ કેસ છે. અને ૧૩ લોકોનાં મૃત્યુ થયાં છે

(11:11 am IST)