Gujarati News

Gujarati News

News of Saturday, 1st August 2020

આંધ્રપ્રદેશમાં સેનેટાઈઝર પી જતાં નવ લોકોનાં મોત

દારૂ ન મળતા સેનેટાઇઝર ઢીંચ્યો

પ્રકાસમ, તા. ૩૧ : આંધ્રપ્રદેશમાં દારૂની જગ્યાએ કથિત રીતે સેનેટાઈઝર પીવાંથી નવ લોકોના મોત થયાં છે. રાજ્યના પ્રકાસમ જિલ્લામાં આ ઘટના સામે આવી છે. દારૂની જગ્યાએ સેનેટાઈઝ પીવાંથી ત્રણ ભીખારી, ત્રણ રિક્ષા ચાલક અને ત્રણ મજુરોએ દારુની જગ્યાએ સેનેટાઈઝરનું સેવન કર્યું હતું. એકનું સારવાર દરમિયાન મોત થયું જ્યારે અન્યનું ઊંઘમાં જ મોત થયું હતું. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. પ્રકાસમ જિલ્લાના પોલીસવડાએ કુરીચેડૂની મુલાકાત કરી હતી. તેમણે કહ્યું કે, મૃતક છેલ્લા કેટલાંય સમયથી પાણી અને કોલ્ડ્રીંક્સ સાથે સેનેટાઈઝરનું સેવન કરી રહ્યા હતાં. એસપીએ જણાવ્યું કે, અમે તે પણ તપાસ કરી રહ્યાં છીએ કે શું તેમણે સેનેટાઈઝરને કોઈ અન્ય ઝેરી પદાર્થ સાથે મેળવ્યો હતો.

તેમણે કહ્યું કે, તેમના પરિવારના સભ્યોએ કહ્યું કે આ લોકો છેલ્લા દસ દિવસથી સેનેટાઈઝરનું સેવન કરતા હતા. અમે વિસ્તારમાં વેચવામાં આવી રહેલા સેનેટાઈઝરના સ્ટોકને તપાસઅર્થે મોકલી રહ્યાં છીએ. ઉલ્લેખનિય છે કે, કુરીચેડૂમાં હાલ કોરોનાના કારણે લોકડાઉન છે અને છેલ્લા ઘણાં દિવસોથી અહીં દારુની દુકાન પણ બંધ છે. આભાર - નિહારીકા રવિયા

(12:00 am IST)