Gujarati News

Gujarati News

News of Thursday, 2nd August 2018

લોકસભાની ચુંટણી પહેલા આધારકાર્ડ ધારક સરળતાથી પોતાના સરનામામાં ફેરફાર કરી શકે તેવી સુવિધા કેન્દ્ર સરકાર ઉપલબ્ધ કરાવશે

નવી દિલ્હીઃ કેન્દ્રની મોદી સરકાર આધારકાર્ડ ધારકો માટે નવી સુવિધા આપશે. જેમાં આધારકાર્ડ ધારક પોતાના સરનામામાં ફેરફાર કરાવી શકશે.

UIDAIએ એક નોટિફિકેશન દ્વારા જાણકારી આપી કે આ નવી સેવાને પહેલી એપ્રિલથી શરૂ કરવાનો પ્રસ્તાવ છે. UIDAIએ કહ્યું કે જે રહીશો પાસે તેમના હાલના નિવાસ સ્થાન અંગે કોઈ માન્ય પ્રમાણપત્ર નથી તેઓ એડ્રસની ખરાઈ માટે પીનકોડવાળા આધારપત્રના માધ્યમથી ભલામણ કરી શકે છે. એકવાર વ્યક્તિને આ પત્ર પ્રાપ્ત થઈ ગયો તો તે કોઈ પણ માથાકૂટ વગર એસએસયુપી ઓનલાઈન પોર્ટલ પર પોતાના આધારમાં એડ્રસમાં ફેરફાર કરી શકે છે. 

જે લોકો ભાડાના ઘરમાં રહે છે કે પછી શહેર છોડીને બીજા શહેરમાં કે સ્થાનો ઉપર કે શ્રમિક તરીકે કામ કરે છે તેમને પણ લાભ થશે. યુઆઈડીએઆઈએ કહ્યું છે કે આ નવી સેનાનું પ્રાયોગિક પરીક્ષણ પહેલી જાન્યુઆરી 2019થી શરૂ થશે અને પહેલી એપ્રિલ 2019થી તેના અમલીકરણનો પ્રસ્તાવ છે. 

માઈગ્રેન્ટ લેબર કે ભાડાના મકાનમાં રહેતા લોકોને પોતાના એડ્રસ અપડેશનની સમસ્યા રહે છે. તેમને આધારને સુવિધા મળી શકતી નહતી. નવી પ્રણાલી મુજબ કે જે 1 એપ્રિલ 2019થી શરૂ થવાનો પ્રસ્તાવ છે, તેમાં આધારકાર્ડ ધારક UIDAIની સાઈટ પરથી સિક્રેટ પિનવાળા આધારલેટરનો વિકલ્પ પસંદ કરી શકે છે. 

કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડ (CBDT)PAN-આધારને લિંક કરવાની સમય મર્યાદાને આગામી વર્ષ 31 માર્ચ સુધી વધારી દીધી છે. પાંચમીવાર આવું બન્યું છે કે સરકારે આધાર-PAN લિંક કરવાની સમયમર્યાદા વધારી છે. આવકવેરા વિભાગની નીતિ નિર્ધારણ શાખાએ આવકવેરા કાયદાની કલમ 119 હેઠળ મોડી રાતે આ આદેશ જારી કર્યો હતો.

સૌથી પહેલા તમે આવકવેરા વિભાગની ઈ-ફાઈલિંગ વેબસાઈટ www.incometaxindiaefiling.gov.in પર જઈને ક્લિક કરો.

    વેબસાઈટ પર જઈને ક્લિક કર્યા બાદ તમને સાઈટમાં એક લાલ રંગનું ક્લિક દેખાશે, જેના પર 'લિંક આધાર' લખ્યું હશે.

    જો તમારું એકાઉન્ટ ન બન્યું હોય તો તમારે પહેલા રજિસ્ટ્રેશન કરાવવું પડશે. લોગ ઈન કર્યા બાદ તમારી સામે પેજ ખુલશે.

    લોગ ઈન કરતા સમયે જ તમે ઉપર દેખાઈ રહેલા પ્રોફાઈલ સેટિંગને ખોલો અને આધાર કાર્ડ લિંક કરવાના ઓપ્શન પર જાઓ.

    ઓપ્શન ખુલ્યા બાદ તમને અપાયેલા સેક્શનમાં આધાર નંબર અને કેપ્ચા કોર્ડ ભરવાના રહશે, જેને ભર્યા બાદ તમારું પાન અને આધાર લિંક થઈ જશે.

જો તમારે વેબસાઈટ પર જઈને આધાર પાન લિંક કરવામાં કોઈ મુશ્કેલી થઈ રહી હોય તો પરેશાન થવાની જરૂર નથી. તમે મોબાઈલના એક એસએમએસથી આ કામ કરી શકો છો. ઈન્કમ ટેક્સ વિભાગના જણાવ્યાં મુજબ 567678 અથવા 56161 પર એસએમએસ મોકલીને આધારને પાન સાથે લિંક કરાવી શકો છો.

(5:58 pm IST)