Gujarati News

Gujarati News

News of Thursday, 2nd August 2018

લવ જેહાદઃ અમારી છોકરીઓ પાછી લાવો નહિ તો તમારી છોકરીઓ નહિ રહે સુરક્ષિત

જયપુર :પોતાના વિવાદિત નિવેદનોને લીધે હંમેશા ચર્ચામાં રહેતા બીજેપી ધારાસભ્ય આહુજાએ હવે લવ જેહાદ પર વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. ન્યુઝ એજન્સી એએનઆઈના રિપોર્ટ પ્રમાણે તેમણે કહ્યુ કે હિન્દુ યુવતીઓને ફોસલાવી તેનું ધર્મપરિવર્તન કરવામાં આવી રહ્યુ છે. તેને પાછી લાવવા માટે હું સમય આપીશ. તેમને લાવો નહીં તો પછી 10 ગઈ તો 20, 20 ગઈ તો 40 તમારી છોકરીઓ સુરક્ષિત નહિં રહે.

   ભાજપના ધારાસભ્ય આહુજાએ એમ પણ કહ્યું કે 'જો આમ ન થયું તો આ માટે અપેક્ષિત સંઘર્ષ પણ કરવામાં આવશે. આ સંદર્ભમાં તેમણે મિસાલ આપતા કહ્યું કે ભગવાન શ્રીરામ તો મર્યાદામાં રહ્યાં, કૃષ્ણ ભગવાને તમામ મર્યાદાઓ તોડીને ધર્મયુદ્ધ કર્યું અને ધર્મની સ્થાપના કરી. જરાસંધ કેવી રીતે મરશે, દુર્યોધન કેવી રીતે મરશે. આ માટે ચાલ, છળ અને સંઘર્ષ કરવો પડે તો કરીશું.

(1:56 pm IST)