Gujarati News

Gujarati News

News of Saturday, 2nd July 2022

પનામા કેસમાં સંડોવાયેલા ૧૯ ગુજરાતીઓના કેસ પણ રિ-ઓપન થશે

પનામા કેસમાં જે ગુજરાતીઓના નામ ખુલ્‍યા હતા તેમની મુશ્‍કેલીઓ હવે વધી જશે. જૂન ર૦૨૧ સુધીમાં ૨૦ હજાર કરોડની બેનામી સંપત્તિ શોધી કાઢવામા આવી છે જેમાં ભારતના ૫૦૦ કરદાતાઓની યાદીમાં ૧૯ ગુજરાતીઓનો સમાવેશ થાય છે. ૧૯ કરદાતાઓના અમદાવાદ ઇન્‍કટેક્‍સ દ્વારા નોટિસો આપીને નિવેદનો લેવાયા હતા. હવે તમામ સામેની તપાસ કરવા માટે કેસ રિ-ઓપન કરશે અને નવા કાયદાનો અમલ કરાશે.  ગુજરાતમાં અમદાવાદ, વડોદરા,મોડાસા, પેટલાદ,ભાવનગર,સુરત અને ભુજના ૧૯ ગુજરાતી કરદાતાઓ પનામા કેસમાં નામ ખુલ્‍યા હતા.

(3:27 pm IST)