Gujarati News

Gujarati News

News of Saturday, 2nd July 2022

ગામમાં મુસ્લિમ સમાજના ફેરિયાના પ્રવેશ પર રોક:થરાદના વાઘાસણ ગ્રૂપ પંચાયતનું ફરમાન

--ઉદયપુરમાં હત્યાકાંડના બનાસકાંઠામાં ઘેરા પડઘા : મુસ્લિમ ફેરિયાઓ પાસેથી વસ્તુ લેનારને 5100 રૂપિયા જેટલો દંડ વસૂલાશે : દંડની જમા થયેલી રકમ ગૌશાળામાં દાન કરાશે

 
ઉદયપુરના  હત્યાકાંડના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે દેશના અનેકભાગોમાં હત્યાકાંડના વિરોધમાં પ્રદર્શન  આવેદનપત્ર પાઠવ્યા છે તેવામાં બનાસકાંઠામાં આ હત્યાના પડઘા રૂપ ગામમાં મુસ્લિમ સમાજના ફેરિયાઓને પ્રવેશ પર રોક લગાવાઇ હોવાનુ જાણવા મળે છે 
 જાણવા મળતી વિગત મુજબ બનાસકાંઠાના થરાદના વાઘાસણ ગૃપ દ્વારા ગામમાં મુસ્લિમ સમાજના ફેરિયાઓ ના પ્રવેશ પર રોક લગાવાઇ છે.મુસ્લિમ ફેરિયા પાસેથી વસ્તુ લેનારને ૫૧૦૦ રૂપિયાનો દંડ ચૂકવવો પડશે .તેવું પણ ફરમાન કરાયું છે.વધુમાં આ દંડની જમા થયેલી રકમ ગૌશાળમાં દાન કરાશે તેવું જાણવા મળે છે

 

(11:53 am IST)