Gujarati News

Gujarati News

News of Friday, 2nd July 2021

કેરળમાં કોરોનાનો કહેર યથાવત : છેલ્લા 24 કલાકમાં નવા 12.868 કેસ નોંધાયા : વધુ 124 લોકોના મોત

છેલ્લા 72 કલાકમાં કેરળમાં 40 હજારથી વધુ કેસ નોધાયા

નવી દિલ્હી : દેશમાં કોરોનાની બીજી લહેર ધીમી પડી છે રોજબરોજ નવા કેસમાં નજીવી વધઘટ થઇ રહી છે જોકે મૃત્યુઆંક હજુ ચિંતાજનક છે દેશમાં નવા કેસ કરતા રિકવર થનારની સંખ્યા વધી રહી છે ત્યારે કેરળમાં કોરોનાનો કહેર યથાવત છે નવા કેસમાં વધારો થઇ રહયો છે  રાજ્યમાં કોરોના કેસમાં વધારો થતા  છેલ્લા 72 કલાકમાં કેરળમાં 40 હજારથી વધુ કેસ નોધાયા છે. જયારે છેલ્લા 24  કલાકમાં 12868 નવા કેસ સામે આવ્યા છે.જયારે 124 લોકોના મોત થયા છે
 

(12:00 am IST)