Gujarati News

Gujarati News

News of Thursday, 2nd July 2020

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના બે માસમાં ૧૩% પ્રવાસી શ્રમિકોને જ મળ્યું અનાજ

યુપી-બિહારે આપ્યું ૨% રાશન

નવી દિલ્હી, તા.૨: લોકડાઉનમા પ્રવાસી મજૂરો માટે ફકત રોજગારી જ મોટુ સંકટ નહોતુ પરંતુ પોતાના દ્યરે પરત ફરવુ તેમજ પરિવારના લોકો માટે અનાજ પુરૂ પાડવુ પણ મોટુ સંકટ છે. એવામા કેન્દ્ર સરકારના આત્મનિર્ભર ભારત પેકેજ હેઠળ ૮ કરોડ પ્રવાસી મજૂરો અને જરૂરીયાતવાળા પરિવારને રાહત આપવાની જાહેરાત કરી છે.

જાહેરાત અનુસાર, બધા જ પ્રવાસી મજૂરોએ મે-જૂન મહિનામા ફ્રી મા અનાજ આપવાની વાત કહી હતી. કેન્દ્ર સરકારના નિર્ણય મુજબ, બધા પ્રવાસીઓ માટે ૫ કિલો પ્રતિ વ્યકિત ચોખા/ ઘઉં અને ૧ કિલો ચણા ફ્રીમા આપવામા આવશે. જેના માટે કેન્દ્રએ બધા રાજયોને ૮ લાખ મેટ્રીક ટન અનાજ ઉપલબ્ધ કરાવ્યુ છે.

જો કે ઉપભોકતા બાબતે, ખાદ્ય અને સાર્વજનિક વિતરણ મંત્રાલયે પોતાના રેકોર્ડમા જણાવ્યુ કે, રાજય સરકાર તરફથી છેલ્લા બે મહિનામા પ્રવાસી મજૂરોમા મળનાર અનાજના ૧૩% અનાજની સાચવણી કરી છે.

આત્મનિર્ભર ભારત પેકેજ હેઠળ રાશન કાર્ડ વગરના ૮ કરોડ પ્રવાસી મજૂરોને મે અને જૂન મહિનામા ૫-૫ કિલો અનાજ આપવાનુ કહેવામા આવ્યુ છે પરંતુ અત્યાર સુધીમા ૨.૧૩ કરોડ મજૂરોને જ આ યોજનાનો લાભ મળ્યો છે. મે મહિનામા ૧.૨૧ કરોડ લોકો અને જૂન મહિનામા ૯૨.૪૪ કરોડ લોકો અને જૂન મહિનામા ૯૨.૪૪ લાખ લોકોએ આ યોજનાનો લાભ લીધો છે.

આ પહેલા નાણામંત્રી નિર્મલા સીતારમણે કરેલી જાહેરાત અનુસાર, બધા પ્રવાસી મજૂરોને ૫ કિલો ચોખા કે દ્યઉં અને ૧ કિલો ચણા બે મહિના સુધી મળશે. કેન્દ્ર સરકાર તરફથી ૩૫૦૦ કરોડ રૂપિયાનુ પેકેજ જાહેર કર્યુ હતુ.

મંત્રાલયે જાહેર કરેલ રિપોર્ટ અનુસાર, બધા ૩૬ રાજયો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને અત્યાર સુધીમા ૬.૩૮ લાખ મેટ્રિક ટન અનાજ લીધુ છે. જો કે કેન્દ્ર સરકાર દ્વારા ૮ લાખ મેટ્રિક ટન એટલે કે ૮૦% અનાજ અનામત છે. જો કે લોકોને ૧.૦૭ લાખ મેટ્રિક ટન અનાજ જ વિતરણ કર્યુ છે. જે કેન્દ્ર સરકાર દ્વારા અનામત અનાજના ૧૩% છે.

રિપોર્ટ અનુસાર, કેટલાક રાજયોએ બે મહિના સુધી પોતાના ભાગ મુજબનુ અનાજ લીધુ છે પરંતુ હજુ સુધી વિતરણ કર્યુ નથી. જેમા ઉત્ત્।રપ્રદેશએ કેન્દ્ર સરકાર પાસેથી ૧,૪૨,૦૩૩ મેટ્રિક ટન કવોટા માટે રાખ્યુ છે. જેમા પ્રદેશમા ૧,૪૦,૬૩૭ મેટ્રિક ટન અનાજ લીધુ છે પરંતુ મે મહિનામા ૪.૩૯ લાખ જરૂરિયાતવાળા લોકો માટે અને જૂન મહિનામા ૨.૨૫ લાખ લોકો સુધી માત્ર ૩,૩૨૪ મેટ્રિક ટન અનાજ પહોંચાડ્યુ છે. જોકે હજુ સુધી માત્ર ૨.૦૩% અનાજ વિતરણ થયુ છે.

બિહાર સરકારએ પોતાના કવોટાનુ ૧૦૦ ટકા અનાજ (૮૬,૪૫૦ મેટ્રિક ટન) લીધુ છે. પરંતુ હજુ સુધી ૩.૬૮ લાખ જરૂરિયાતવાળા લોકોને ૧.૮૪૨ મેટ્રિક ટન અનાજ વિતરણ કર્યુ છે. જો કે માત્ર ૨.૧૩ ટકા અનાજ વિતરણ કર્યુ છે. જે આંકડા મે મહિનાના છે. જૂન મહિનામા કોઇને પણ અનાજ આપવામા આવશે નહીં. જો કે આ ૧૧ પ્રદેશના અનાજ લીધુ છે, જેના ૧ ટકા પણ લોકોમા વિતરણ થયુ નથી. આ રાજયોમા આંધ્ર પ્રદેશ, ગોવા, ગુજરાત, ઝારખંડ, લદાખ, મહારાષ્ટ્ર, મેદ્યાલય, ઓડિશા, સિક્કિમ, તમિલનાડુ, તેલંગણા અને ત્રિપુરા સમાવેશ થાય છે.

(3:58 pm IST)