Gujarati News

Gujarati News

News of Thursday, 2nd July 2020

એસ.બી.આઇ. ATM સેવા ઉપર 1 જુલાઈથી ચાર્જ લેવાનું શરૂ : મહિનામાં 8 ટ્રાન્ઝેક્શન ફ્રી : ત્યાર પછી ટ્રાન્ઝેક્શન દીઠ 10 રૂપિયા પ્લસ જીએસટી

ન્યુદિલ્હી : ફાઇનાન્સ મિનિસ્ટર નિર્મલા સીતારામનના આદેશને માન આપી દેશની સૌથી મોટી બેન્ક એસ.બી.આઇ.એ કોરોના વાઇરસના કહેરના કારણે 30 જૂન સુધી ATM  ટ્રાન્ઝેક્શન ઉપર ચાર્જ લેવાનું બંધ રાખ્યું હતું. હવે 1 જુલાઈથી ચાર્જ લેવાનું શરૂ કરી દેવાયું છે.

જે મુજબ 25 હજાર રૂપિયાથી ઓછું બેલેન્સ ધરાવતા ગ્રાહકો મહિનામાં 5 ટ્રાન્ઝેક્શન પોતાની બેન્કમાંથી અને 3 ટ્રાન્ઝેક્શન અન્ય બેન્કમાંથી કરી શકશે આમ કુલ 8 ટ્રાન્ઝેક્શન થઇ શકશે. તેનાથી વધુ ટ્રાન્ઝેક્શન ઉપર દરેક ટ્રાન્ઝેક્શન દીઠ 10 રૂપિયા ઉપરાંત જીએસટી વસુલ કરાશે.

(2:01 pm IST)