Gujarati News

Gujarati News

News of Thursday, 2nd July 2020

દેશમાં કોરોના કેસનો આંકડો 6 લાખને પાર : મિઝોરમ અને સિક્કિમમાં નવા કેસ નહીં

સિક્કીમમાં સતત ત્રણ દિવસથી કોઈ નવો કેસ નથી આવ્યો.

નવી દિલ્હી : ભારતમાં કોરોનાવાઇરસની પકડ જાણે વધારે સખત જ થતી જાય છે. આજે 2જી જૂલાઇના રોજ દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 605216 પર પહોંચી ગઇ છે. બુધવારે દેશમાં નવા કેસિઝની સંખ્યા 19248 થઇ છે તથા સાજા થયેલાઓની સંખ્યા covid19india.org અનુસાર 12057 પર પહોંચી છે.

સારા સમાચાર બીજી બાજુ મિઝોરમ અને સિક્કીમ બે રાજ્ય એવા છે, જેમાં હાલમા નવા કેસિઝ નથી આવ્યા હતા . સિક્કીમમાં સતત ત્રણ દિવસથી કોઈ નવો કેસ નથી આવ્યો.

(11:15 am IST)