Gujarati News

Gujarati News

News of Thursday, 2nd July 2020

૨૪ કલાકમાં ૪૩૪ના મોતઃ ૧૯૧૪૮ નવા કેસ નોંધાયા

ભારતમાં અત્યાર સુધીમાં ૧૭૮૩૪ લોકોને ભરખી ગયોઃ કુલ કેસ ૬૦૪૬૪૧ થયાઃ દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા ૬ લાખની ઉપર થઈ ગઈ

નવી દિલ્હી, તા. ૨ :. ભારતમાં કોરોનાના કેસ રોકેટગતિએ વધી રહ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૧૯૧૪૮ નવા પોઝીટીવ કેસ સામે આવ્યા છે અને આ દરમિયાન ૪૩૪ લોકોના મોત થયા છે.

સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે આ સાથે જ ભારતમાં હવે કોરોના વાયરસના કુલ ૬૦૪૬૪૧ કેસ થઈ ગયા છે. આમાથી ૩૫૯૮૬૦ લોકો સાજા થયા છે અથવા તો હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે તો કોવિડ-૧૯થી અત્યાર સુધીમાં ૧૭૮૩૪ લોકોના મોત થયા છે.

આઈસીએમઆરના જણાવ્યા પ્રમાણે પરીક્ષણ કરવામાં આવેલા કુલ સેમ્પલની સંખ્યા ૯૦૫૬૧૭૩ છે. જેમાંથી ૨૨૯૫૮૮ સેમ્પલનું પરિક્ષણ કરવામાં આવ્યુ હતું

(11:12 am IST)