Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd June 2020

અમિતભાઈએ ચીન, NRC, CAA, પ્રવાસી મજૂરો, વિપક્ષ સહિતના સવાલોના ખુલીને આપ્યા જવાબો

કેન્દ્ર સરકારના બીજા કાર્યકાળની પ્રથમ વર્ષની પૂર્ણાહુતિએ ગૃહમંત્રી શાહે એક ઈન્ટરવ્યુમાં વર્તમાન પડકાર- સરકારની નિતીઓ વર્ણવી

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહે મોદી સરકારના બીજા કાર્યકાળનું પ્રથમ વર્ષ પૂરૂ થવા પર સાથે ખાસ વાતચીત કરી હતી. તેમણે કહ્યું કે નરેન્દ્રભાઈ મોદી સરકારના બીજા કાર્યકાળને એકલો જોવો જોઈએ નહીં પણ આ સરકાર ૨૦૧૪માં સત્તામાં આવી છે. નરેન્દ્ર મોદી સરકારના પ્રયત્નોને નિંરંતરતા રૂપે જોવા જોઈએ. આ દરમિયાન તેમણે ફકત સરકારની સિદ્ઘિ વિશે જ જણાવ્યું ન હતું પણ બધા વર્તમાન પડકાર અને મુદ્દા પર સરકારની નીતિઓ વિશે પણ વાત કરી હતી. કેન્દ્રીય ગૃહ મંત્રી સાથે વાતચીત દરમિયાન ખાસ ૧૦ મહત્વની વાતો.

કોરોના વાયરસ પર વાતચીત દરમિયાન ગૃહ મંત્રીએ કહ્યું કે કોરોના સામે મોદી જી ના નેતૃત્વમાં જે રણનિતી બની તેના પર વિસ્તારથી વાત કરીશ. દિપ પ્રગટાવવા, ઘંટી વગાડવી, કોરોના વોરિયર સન્માન સાથે પીએમ મોદી લોકોને રણનીતિક રૂપથી આ માટે તૈયાર કર્યા હતા. ભારતમાં ૧૦ લાખની વસ્તી પર ૧૨.૬ લોકો કોરોનાથી સંક્રમિત છે, જયારે દુનિયામાં ૭૭.૬ લોકો કોરોનાથી સંક્રમિત છે. આખી દુનિયાની સરખામણીએ અમે ઘણી સારી રીતે કંટ્રોલ કર્યો છે. જયાં સુધી રસી કે દવા ના શોધાય જાય ત્યાં સુધી આ મહામારી સાથે જીવવાની આદત બનાવવી પડશે.

પ્રવાસી મજૂરોના સવાલ પર ગૃહમંત્રીએ કહ્યું કે એમ કહેવું યોગ્ય નથી કે સરકારે લોકડાઉનમાં ઉતાવળ કરી. આમ થયું હોત તો ભાગદોડ મચી જાત. તે સમયે આપણી ટેસ્ટિંગ, કવોરન્ટાઇન વ્યવસ્થા સારી ન હતી. અમે આગામી બે મહીનામાં આ સુવિધાઓની વ્યવસ્થા કરી. ૧૧ હજાર કરોડ રૂપિયા રાજય સરકારને ખાવાનું ખવડાવવા માટે આપવામાં આવ્યા.

 પ્રવાસી મજૂરોને ઘર મોકલવા પર કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે પહેલા બસ સેવા શરૂ કરવામાં આવી જેમાં ૪૧ લાખ શ્રમિક મોકલવામાં આવ્યા. બસ આસપાસના રાજયો માટે ચલાવવામાં આવી. આ પછી શ્રમિક ટ્રેનોનું સંચાલન શરૂ કરવામાં આવ્યું, જેમાં ૫૫ લાખ પ્રવાસી મજૂરોને તેમના ઘરે મોકલવામાં આવ્યા. કેટલાક લોકોએ ધીરજ ગુમાવી અને પગપાળા ચાલવા લાગ્યા તો અમે ઘણા લોકોને બસ દ્વારા નજીકના રેલવે સ્ટેશન કે તેમના જિલ્લા સુધી પહોંચાડ્યા. આ ઉપરાંત ટિકિટની સાથે રાજયોને મજૂરોને ૫૦૦ થી ૨૦૦૦ રૂપિયા આપ્યા. તે ઉતાવળ ના કરે તે માટે રિકશા ચલાવીને સરકારે સંદેશો લોકો સુધી પહોંચાડ્યો હતો.

કોંગ્રેસી નેતા રાહુલ ગાંધીના સીધા લાભાર્થીના એકાઉન્ટમાં કેટલીક રકમ મોકલવાની સલાહ પર ગૃહમંત્રીએ કહ્યું કે તે એક યોજના લઈને ફરી રહ્યા છે. જેમાં બધાના એકાઉન્ટમાં પૈસા નાખવાની વાત કરે છે. જોકે જનતાએ આ યોજનાને ચૂંટણી દરમિયાન જ ફગાવી દીધી હતી. મોદી સરકારે ખેડૂતો, વરિષ્ઠ નાગરિકો, વિધવાઓને DBT અંતર્ગત કરોડો રૂપિયા સીધા એકાઉન્ટમાં મોકલ્યા છે. ઉજ્જવલા યોજનામાં મફતમાં સિલેન્ડર લોકો સુધી પહોંચાડ્યા છે. ૧૮ લાખ મેટ્રિક ટન દ્યઉં અને ચોખા મફતમાં વહેંચવા માટે મોકલ્યા છે. આ સીધો લાભ પહોંચાડવો નથી તો શું છે?૫. અર્થવ્યવસ્થાને વૈશ્વિક સંકટથી આવેલા પ્રહાર પર ગૃહમંત્રીએ પીએમ મોદીનો આત્મનિર્ભરતાનો મંત્ર દોહરાવ્યો હતો. તેમણે કહ્યું કે અમે ૪ સુત્રીય આત્મનિર્ભરતામાં તેને બદલાવીશું. આ દેશ આત્મનિર્ભરતાથી ભરેલો છે અને પીએમ મોદીના કહ્યા પ્રમાણે આપણે આ સંકટને એક અવસરમાં બદલીશું.

વોકલ પર લોકલ વિશે સવાલ કરાયો હતો કે શું આ પગલું આપણને દુનિયાથી અલગ કરી દેશે? કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે આમા આપણે સહેજ પણ પાછળ જઈશું નહીં. ૧૩૦ કરોડની વસ્તી આપણી શકિત છે. શું અર્થવ્યવસ્થાને મજબૂત કરવામાં તેનો પ્રયોગ ના કરવો જોઈએ. આનાથી ભારતમાં રોકાણ ઓછું થવાની સંભાવના નથી, તેનાથી રોકાણ વધશે. ભારતના લોકો અહીંના ઉત્પાદનનો પ્રયોગ કરવાનો નિર્ણય કરે છે તો તેનાથી ભારત મેન્યુફેકચરિંગ હબ બનશે, અમને વિશ્વાસ છે કે તેનાથી આપણા અર્થતંત્રને એક નવી ગતિ મળશે.

LAC પર ચીન સાથે ચાલી રહેલા ટકરાવ પર અમિત શાહે કહ્યું કે LAC પર ટકરાવના સ્વભાવને કોઈ સાર્વભૌમ રાષ્ટ્ર હળવાશમાં લઈ શકે નહીં. અમારી ડિપ્લોમેટિક અને સૈનિક વાતચીત યથાવત્ છે. મોદી સરકાર આના પર કોઈ સમજુતી કરશે નહીં અને અમે આ માટે અડગ ઉભા રહીશું.

કોરોના પ્રસારમાં તબલિગી જમાતના રોલ અને મૌલાના સાદના ફરાર થવા પર ગૃહમંત્રીએ કહ્યું હતું કે અમારી પ્રાથમિકતા કોરોના સામે લડાઇ છે. જેમણે કાયદો તોડ્યો છે અમે તેવા કોઈને છોડીશું નહીં.

મધ્ય પ્રદેશમાં જયોતિરાદિત્ય સિંધિયા પ્રકરણ પર તેમણે કહ્યું કે કોંગ્રેસની અંદર નેતૃત્વ પ્રત્યે શ્રદ્ઘા ઓછી હોવાના કારણે આ વિદ્રોહ થયો છે. તેની જવાબદારી સોનિયા અને રાહુલ ગાંધીની હતી. હું સ્પષ્ટ રીતે કહી દઉં કે આ લોકડાઉન પહેલા થયું હતું. મહારાષ્ટ્ર્માં આવી કોઈ સંભાવના છે. આ વિશે અમિત શાહે કહ્યું હતું કે જયાં સુધી મહારાષ્ટ્ર સરકારના ત્રણ દ્યટક દળોનો ભરોસો સરકાર પર છે તે કેવી રીતે તુટશે. અમે કયારેય અસ્થિરતાનો પ્રયત્ન કર્યો નથી. ખાસ કરીને ત્યારે જયારે કોરોના સામે લડાઇ ચાલી રહી છે.

CAA વિશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈએ કહ્યું હતું કે લોકો વચ્ચે એક ભ્રમ ઉભો કરવામાં આવ્યો હતો કે CAA પર લોકોની નાગરિકતા જવાની છે. મેં પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે અમે NRC લઈને આવીશું. આ પહેલા અમે CAA પર લોકોનો ભ્રમ દુર કર્યા પછી વિચાર કરીશું. દિલ્હી રમખાણ પર કહ્યું હતું કે દિલ્હી રમખાણ કરનાર અને ષડયંત્ર કરનાર પર સખત કાર્યવાહી કરવામાં આવશે. ભલે કોઈપણ મોટો માણસ આ રમખાણ માટે જવાબદાર હોય તેની સામે પગલાં ભરવામાં આવશે. તેમ અમિતભાઈએ ન્યુઝ-૧૮ સાથેની મુલાકાતમાં જણાવેલ.

(3:57 pm IST)