Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd June 2020

મથુરા-વૃંદાવનના મંદિરો ૮મીથી દર્શનાર્થે ખુલ્લા મુકાશેઃ માસ્ક-સોશ્યલ ડીસ્ટન્સીંગ ફરજીયાત

ગોરખપુરઃ અઢી મહિના લાંબા લોકડાઉન બાદ મથુરા અને વૃંદાવનના મંદિરો ૮ જુનથી ભકતોને દર્શનાર્થે ખુલ્લા મુકાશે. વ્રજના પ્રસિધ્ધ દ્વારીકાધીશ મંદિરના મીડીયા પ્રભારી તિવારીએ જણાવેલ કે કેન્દ્ર સરકારની ગાઇડ લાઇન મુજબ મંદિર ૮ જુને ખુલશે. જે મુજબ ભકતોએ સોશ્યલ ડિસ્ટન્સીંગ, માસ્કનું પાલન કરવાનું ફરજીયાત રહેશે. જયારે કેશવપુરાના પ્રાચીન મંદિરને ખોલતા પહેલા સેનેટાઇઝર કરાશે.

(2:48 pm IST)