Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd June 2020

અજમેર દરગાહમાં ર૧ હજાર ચીરાગ સળગાવી કોરોના મુકિત માટે દુવા કરાઇ

અજમેર તા. રઃ રાજસ્થાનમાં અજમેર સ્થીત સૂફી સંત ખ્વાજા મોઇનુદ્દીન હસન ચિશ્તીની દરગાહ શરીફમાં રવિવારે રાતે આસ્તાના શરીફ બંધ થયા બાદ ચીરાગ સળગાવીને કોરોના સંક્રમણ મુકતી માટે દુવા કરવામાં આવી હતી.

ચીશ્તિયા સૂફી મીશન સોસાયટી દ્વારા ર૧ હજાર દીવા સળગાવવામાં આવ્યા હતા. દરગાહના પરિસરમાં અલગ અલગ જગ્યાએ રાત્રે મોટી સંખ્યામાં ચીરાગ સળગલાવી વિશ્વભરમાં કોરોના મહામારીની મુકતી માટે ખ્વાજા ગરીબે નવાઝના આસ્તાનામાં દુવા કરવામાં આવી હતી, ચીરાગ દરગાહના નિઝામ ગેઇટ, બુલંદ દરવાજા પાસે, શાહજહાંની દરવાજા પાસે, કવીઝ મૈરિઝ હોજ, સંદલખાના ગેઇટ પાસે વગેરે જગ્યા પર અસંખ્ય ચીરાગ સળગાવવામાં આવ્યા હતા. (૭.૧૧)

(10:36 am IST)