Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd June 2020

વંદે ભારત મિશનને લઇ આઇએનએસ જલાશ્વ ૭૦૦ ભારતીયોને લઇ કોલંબોથી સ્વદેશ રવાના

કોલંબોઃ નૌસેનાનુ આઇએનએસ જલાશ્વ ૭૦૦ ભારતીયોને લઇ કોલંબોથી રવાના થયુ છે. વિદેશમાં ફસાયેલા ભારતીયોની વાપસી માટે જારી વંદેભારત મિશનને લઇ સમુદ સેતુ અભિયાનના બીજા ચરણમા શ્રીલંકાથી ભારતીયોને લઇ જઇ રહ્યુ છે.

સોમવાર સવારના સ્ટીમર કોલંબો બંદરગાહ પહોંચ્યુ અને ત્યાંથી યાત્રિઓને લઇ તમિલનાડુના તૂતીકોરીન માટે રવાના થયુ આ પછી સ્ટીમર માલદીવના માલાથી પણ ૭૦૦ યાત્રિઓને તુતીકોરીન લાવશે કોરોનાને લઇ સુરક્ષાના દિશા નિર્દેશ જારી કર્યા છે.

(8:35 am IST)