Gujarati News

Gujarati News

News of Saturday, 2nd June 2018

સિંગાપુરમાં વડાપ્રધાન મોદીએ નેવીના જવાનોની લીધી મુલાકાત

જવાનોએ વડાપ્રધાન મોદીની હાજરીમાં ભારત માતા કી જયનાં નારા લગાવ્યા હતા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાંચ દિવસની યાત્રા બાદ શનિવારે સાંજે ભારત પરત ફર્યા હતા. તે અગાઉ તેઓ સિંગાપુર ખાતે હતા. જ્યાં શનિવારે તેમણે ભારતીય નૌસેનાનાં જવાનો સાથે મુલાકાત કરી હતી. આઇએનએસ સતપુરાનાં જવાનોએ વડાપ્રધાન મોદીની હાજરીમાં ભારત માતા કી જયનનાં નારા લગાવ્યા હતા. આઇએનએસ સાતપુરા જહાજ આ વિસ્તારની દેખરેખ માટે ભારતની તરફથી ત્યાં ફરજંદ કરવામાં આવ્યું છે. અગાઉ પણ બંન્ને દેશોની વચ્ચે 8 સમજુતીઓ પર હસ્તાક્ષર થયા હતા. 

(9:35 pm IST)