Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

ઇરાકમાં જજનો પરિવાર ફુંકાયોઃ ૧૬ મોત

ઇરાકમાં ન્યાયધીશના પુત્રોના પરિવારો પર મશીનગનધારીઓ ત્રાટકયાઃ ૧૬ના મોતઃ ૪ ઘાયલઃ સલાહુદીન પ્રાંતની ઘટનાઃ ન્યાયાધીના ત્રણે ત્રણ પુત્રોના પરિવારો સાફ

બગદાણા તા.૨: ઇરાકના સલાલુદીન પ્રાંતના એક કસબામાં ત્રણ મકાનો પર અજ્ઞાત બંદુધારીઓએ અંધાધુંધ ગોળીબાર કર્યો છે, જેમાં ૧૬ના મોત થયાના અહેવાલ મળે છે.

પોલીસ અધિકારીના જણાવ્યા પ્રમાણે આ ત્રણે મકાનો ન્યાયધીશ અલ માજકોરના  ત્રણે પુત્રોના છે. મરનારમાં પુત્રોના પરિવારજનોનો સમાવેશ થાય છે.

 જેમાં બાળકો અને મહિલાઓની સંખ્યા વધારે છે. પ્રાથમિક તપાસ મુજબ જજના પુત્રોના પરિવારજનો સાફ થઇ ગયા છે.

બગદાણાથી ૬૦ કિમી દુર આ ઘટના બની છે.પોલીસ અધિકારી જણાવે છેકે ગઇ રાત્રે મશીનગનથી લેસ હુમલાખોરોએ અંધાધુંધ ફાયરીંગ કર્યુ હતું.

(4:06 pm IST)