Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

ખૈરાબાદમાં ત્રણ માસૂમ બાળકોને ફાડી ખાતા આદમખોર કૂતરા..

ખૈરાબાદ ક્ષેત્રના બે ગામમાં ગઇકાલે સવારે આદમખોર કૂતરાઓના ટોળાએ ત્રણ બાળકોને બટકા ભરી મારી નાંખતા હાહકાર મચી ગયો છે. ટિકરીયા ગામમાં ૧૧ વર્ષની શામલી, ગુરૂપલિયા ગામમાં ૧ર વર્ષના ખાલીદ અને કોલીયા પહાડપુર ગામમાં ૧૧ વર્ષની કોમલ જે નાનીના ઘરે આવી હતી તેને કૂતરાઓએ ફાડી ખાધી હતી. આખેરાબાદ ક્ષેત્રમાં ૪ મહીનામાં આદમખોર કૂતરાઓએ ૧પ બાળકોને ફાડી ખાધાની ઘટના બની છે. (૮.૭)

(11:49 am IST)