Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

હું ભગવાન રામ નથી કે મારા જમવાથી તે (દલિત)પવિત્ર થઇ જાય :ઉમાભારતી

મધ્યપ્રદેશના છતરપુરના નૌગાંવમાં ભાજપના નેતાઓ દલિતના ઘરે જમવા પહોંચ્યા પરંતુ ઉમાભારતી અળગા રહ્યાં

 

ભોપાલ :કેન્દ્ર સરકારના મંત્રી ઉમાભારતીનું કહેવું છે કે તે દલિતના ઘરે જઈને ભોજન કરતા નથી કારણ કે તે કોઈ ભગવાન રામ નથી કે તેના જમવાથી તે (દલિત )પવિત્ર થઇ જાય મધ્યપ્રદેશના છતરપુર જિલ્લાના નૌગાંવમાં સામાજિક સમરસતા ભોજન સામેલ થવા ભાજપના નેતાઓ પહોંચ્યા હતા પરંતુ ઉમાભારતી ભોજન લેવા નહોતા ગયા

   એટલું નહીં દાદરી ગામમાં પોતાના સંબોધનમાં ઉમાભારતીએ કહ્યું કે હું દલિતોનું સન્માન આકરું છે પરંતુ હું કોઈ દલિતના ઘરમાં ભોજન કરવા જતી નથી તેઓએ કહ્યું કે દલિતોને હું મારા ઘરે ભોજન કરાવવું છું ઉમાભારતીએ કહ્યું કે તેઓ સામાજિક સમરસતા ભોજનનો હિસ્સો બનાવ ઇચ્છતી નથી કારણ કે હું પોતાને ભગવાન રામ માનતી નથી કે શબરીના ઘરે જઈને ભોજન કર્યું તો દલિત પવિત્ર થઇ જશે દલિત જયારે મારા ઘરે આવીને ભોજન કરશે ત્યારે મારુ ઘર ધન્ય થઇ જશે

 

(9:00 am IST)