Gujarati News

Gujarati News

News of Thursday, 2nd April 2020

રામાયણની વાપસીથી દૂરદર્શનને મળી ખુશખબરી, ટીઆરપી રેટિંગમાં બનાવ્‍યો આ રેકોર્ડ

દેશમાં કોરોના વાયરસના પ્રકોપને ઘટાડવા માટે પી. એમ. નરેન્‍દ્ર મોદીએ લોકડાઉનના આદેશ આપ્‍યા હતા જે ૧પ એપ્રીલ સુધી ચાલુ રહેશે. જયારે લોકડાઉન પછી ૮૦ અને ૯૦ના દશકના થોડા મશહૂર કાર્યક્રમોની પણ દૂરદર્શન પર વાપસી થઇ છે.

આ લિસ્‍ટમાં મહાભારત, રામાયણ, વ્‍યોમકેશ બક્ષી અને સર્કસ જેવા શો શામેલ રહ્યા. પ્રશારભારતીના સીઇઓ શશિ શેખરએ ટવિટ સાથે આ જાણકારી આપી જયારે શશિ શેખરએ બાર્કને પોતાનુંસ્ત્રોત બતાવ્‍યું છે.

(11:18 pm IST)