Gujarati News

Gujarati News

News of Thursday, 2nd April 2020

ફિલીપીન્સમાં કવોરનટાઈનમાં હિંસક પ્રદર્શનકારીઓને ગોળી મારવા રાષ્ટ્રપતિ દુર્તેતેનો આદેશ

મનીલાઃ વિશ્વભરમાં કોરોનાથી મોતનો આંકડો ૪૭,૨૦૫ થયો છે, ત્યારે ફિલીપીન્સના રાષ્ટ્રપતિ રોડ્રીગો દુર્તેતેએ કવોરનટાઈન દરમિયાન હિંસક પ્રદર્શનકારીઓથી નિપટવા માટે ગોળી મારવાનો આદેશ આપ્યો છે. મનીલામાં લોકોને ભોજન વહેંચતી વખતે લેફટ પ્રદર્શનકારીઓ કાબુ બહાર થઈ ગયેલ. ગઈકાલે મોડી રાત્રે દુર્તેતેએ જણાવેલ કે મે પોલીસ અને સેનાને આદેશ આપ્યો છે કે કોઈપણ મુશ્કેલી ઉભી કરે અને તેમનો જીવ ખતરામાં નાખે તો તેને ગોળી મારી દો. સરકારના આદેશોનું પાલન કરવા અને શાસન વ્યવસ્થા બનાવી રાખવાની જરૂર છે. કોઈએ પણ ડોકટરો અને સ્વાસ્થ કર્મીઓને નુકશાન ન પહોંચાડવું જોઈએ તેમ પણ દુર્તેતે જણાવેલ.

(3:45 pm IST)