Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

વૃંદાવનમાં પણ ગુજરાતના 22 લોકો ફસાયા વતન આવવા માટે સરકારને અપીલ કરી

કેટલાક કલોલ અને પાનસર ગામના રહેવાસી

કોરોનાની દહેશત વચ્ચે અનેક લોકો ગુજરાત બહાર ફસાયા છે ત્યારે વૃંદાવનમાં પણ ગુજરાતના 22 લોકો ફસાયા છે. 15 દિવસથી અમદાવાદ તરફના તમામ રસ્તાઓ બંધ હોવાથી તેઓ વૃંદાવન ફસાયા છે. ફસાયેલા આ 22 લોકોમાંથી કેટલાક કલોલ અને પાનસર ગામના રહેવાસી છે. હાલ આ તમામ લોકો વૃંદાવનની ધર્મશાળા અને આશ્રમમાં રોકાયા છે અને વતન આવવા માટે સરકારને અપીલ કરી રહ્યાં છે.

(1:03 am IST)